ગુજરાતના 40 તાલુકાઓમાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને પાક બચાવવા અનુરોધ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર ઉપર સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી તારીખ ૩૧ માર્ચથી ૩ એપ્રિલ દરમિયાન ગુજરાતના લગભગ ૪૦ તાલુકાઓમાં કમોસમી અને અનિયમિત વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહીને પગલે ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા તારીખ પ્રમાણે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓની યાદી નીચે મુજબ છે:
૩૧ માર્ચ: તાપી, નર્મદા
૧ એપ્રિલ: અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ
૨ એપ્રિલ: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
૩ એપ્રિલ: તાપી અને નર્મદા
ઉપરોક્ત જિલ્લાઓના તાલુકાઓમાં કમોસમી વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પોતાના ખેતરમાં તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડે અથવા તેને તાડપત્રીથી ઢાંકી દે. આ ઉપરાંત, ખેડૂતોને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેમના ખેતી કાર્યનું આયોજન કરવા પણ જણાવવામાં આવ્યું છે.
આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે, તેથી તમામ ખેડૂત ભાઈઓને સાવચેતી રાખવા અને પાકને બચાવવા માટે ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી છે. વધુ માહિતી માટે સ્થાનિક હવામાન વિભાગના બુલેટિન અને કૃષિ વિભાગના અધિકારીઓના સંપર્કમાં રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.



